-->

વ્રુધ્ધ સહાય યોજના

Advertisemen
 
વ્રુધ્ધો

નમસ્કાર મિત્રો

આજે હુ તમને વ્રુધ્ધ સહાય વિશે માહિતી આપીશ

વ્રુધ્ધ સહાય યોજના બે પ્રકારની હોય છે

૧ નિરાધાર વ્રુધ્ધ સહાય યોજના

૨ ઇંદિરાગાંધી રાષ્ટ્રિય વ્રુધ્ધ પેંશન યોજના

આપણે સૌ પ્રથમ નિરાધાર વ્રુધ્ધ સહાય યોજના વિશે જોઇએ

૧ નિરાધાર વ્રુધ્ધ સહાય યોજના

જે વુધ્ધવ્યક્તિ નુ કોઈ ના હોય અને નિરાધાર હોય એવા વ્રુધ્ધ ને નિરાધાર વ્રુદ્ધસહાય મળે છે 

નિરાધાર વ્રુધ્ધ 


નિરાધાર વ્રુધ્ધ સહાય યોજનામા કેટલી સહાય મળે?

  • ૧ મહિનામા ૭૫૦ રુપિયા મળે

શરતો

  • અરજદારની ઉમ્મર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ
  • અરજ્દારની આવક જો ગ્રામ્ય વિસ્તાર હોય તો ૧,૨૦,૦૦૦ થી વધુ ના હોવી જોઈએ તેમજ શહેરી વિસ્તારમા ૧,૫૦,૦૦૦ થી વધુ ના હોવી જોઈએ
  • અરજદારનો પુત્ર ના હોવો જોઈએ (અરજદાર ને કોઈનો આધાર ના હોવો જોઈએ)

પુરાવા

  • અરજદારની આવક નો દાખલો
  • અરજદારની આધારકાર્ડ / ચુટણી કાર્ડ
  • અરજદારનો રેશન કાર્ડ
  • અરજદારની બેંક પાસબુક ની નકલ (સિંગલ અકાઉંટ હોવુ જરુરી છે)

બેંક પાસબૂક 

  • અરજદારના પાસપોર્ટ સાઈઝ ના ફોટો
  • અરજદારનો જન્મનો દાખલો / લિવીંગ સર્ટી ( જો ના હોય તો નજીકના સરકારી દવાખાનામા જઈ મેડીકલ ઓફિસર પાસેથી ઉમ્મરનો દાખલો કઢાવવો)

અરજી ક્યા કરવી?

  • ઉપરના બધા આધાર પુરાવા અરજી ફોર્મ સાથે જોડી મામલતદાર કચેરીમા અરજી કરવી
  • અરજી ફોર્મ મામલતદાર કચેરીમા વિનામુલ્યે મળે છે
  • વ્રુધ્ધ સહાય આજીવન મળે છે

 

૨ ઇંદિરાગાંધી રાષ્ટ્રિય વ્રુધ્ધ પેંશન યોજના 

ઇંદિરાગાંધી વ્રુધ્ધ પેંશન યોજનામા પુત્ર હોય તો પણ સહાય મળે છે પરંતુ તેઓ ગરીબી રેખા હેથળ આવતા હોવા જોઈએ બીપીએલ યાદીમા નામ હોવુ જરુરી છે 

ઇંદિરાગાંધી રાષ્ટ્રિય વ્રુધ્ધ પેંશન યોજનામા કેટલી સહાય મળે?

રુપિયા


  •  ૧ મહિનામા ૭૫૦ રુપિયા મળે

શરતો

  • અરજદારની ઉમ્મર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ
  • અરજ્દારની આવક જો ગ્રામ્ય વિસ્તાર હોય તો ૧,૨૦,૦૦૦ થી વધુ ના હોવી જોઈએ તેમજ શહેરી વિસ્તારમા ૧,૫૦,૦૦૦ થી વધુ ના હોવી જોઈએ
  • અરજદારનુ ૦ થી ૧૬ બીપીએલ સ્કોરમા નામ હોવૂ જોઇએ
  • અરજદારનો પુત્ર હોય તો પણ સહાય મળશે

પુરાવા

  • અરજદારનો બીપીએલ નો દાખલો
  • અરજદારની આવક નો દાખલો
  • અરજદારનો  આધારકાર્ડ / ચુટણી કાર્ડ
  • અરજદારનો રેશન કાર્ડ
  • અરજદારની બેંક પાસબુક ની નકલ (સિંગલ અકાઉંટ હોવુ જરુરી છે)
  • અરજદારનો પાસપોર્ટ સાઈઝ ના ફોટો
  • અરજદારના જન્મનો દાખલો / લિવીંગ સર્ટી ( જો ના હોય તો નજીકના સરકારી દવાખાનામા જઈ મેડીકલ ઓફિસર પાસેથી ઉમ્મરનો દાખલો કઢાવવો)

અરજી ક્યા કરવી?

  • ઉપરના બધા આધાર પુરાવા અરજી ફોર્મ સાથે જોડી મામલતદાર કચેરીમા અરજી કરવી
  • અરજી ફોર્મ મામલતદાર કચેરીમા વિનામુલ્યે મળે છે
  • ઇંદિરાગાંધી રાષ્ટ્રિય વ્રુધ્ધ પેંશન આજીવન મળે છે

                                       તો મિત્રો આ રીતે  જો તમારા ફ્રેંડ્સ કે ફેમિલી મા કોઈ વ્રુધ્ધ હોય તો તેમને લાભ અપાવી મદદ કરી શકો છો.

                                              જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે અચુક શેર કરજો અને હા જો કોઈ સુઝાવ કે પ્રશ્ન હોય તો કોમેંટ કરી કહી શકો છો હુ જરુરથી જવાબ આપીશ 

આભાર


Advertisemen

Disclaimer: Gambar, artikel ataupun video yang ada di web ini terkadang berasal dari berbagai sumber media lain. Hak Cipta sepenuhnya dipegang oleh sumber tersebut. Jika ada masalah terkait hal ini, Anda dapat menghubungi kami disini.
Related Posts
Disqus Comments
© Copyright 2017 shriva gujarati - All Rights Reserved - Created By BLAGIOKE & Best free blogger templates