Advertisemen
નમસ્કાર ખેડુતમિત્રો,
આજે આપણે જમીનની
નકલમા આપણી હયાતીમા આપણા પુત્ર કે પુત્રી અથવા પત્ની કોઈનુ પણ નામ આપણી હયાતીમા દાખલ
કરવા માંગતા હોય તો કઈ રીતે નામ દાખલ કરી શકાય તેના વિશે જાણીશુ.
હયાતીમા હક્ક દાખલ કરવો એટલે શુ?
- કોઈ વ્યક્તિનુ જમીનમા નામ ચાલતુ હોય અને એ વ્યક્તિ પોતાની હયાતીમા (જીવીત હોય ત્યારેજ) જ એમના વારસદારોના નામ જમીનમા દાખલ કરે તેને હયાતીમા હક્ક દાખલ કર્યો કહેવાય.
હયાતીમા હક્ક દાખલ કરવા અરજી ક્યા કરવી?
- હયાતીમા હક્ક દાખલ કરવા અરજી મામલતદારશ્રી ને સમ્બોધીને મામલતદાર કચેરીના ઈ ધરા કેંદ્ર્મા આપવી
હયાતીમા હક્ક દાખલ કરવા કયા ક્યા પુરાવા જોઈએ?
- નમ્બર ૭, ૧૨ અને ૮/અ ની નકલ
- પેઢીનામુ (તલાટી પાસે બનાવવુ, પેઢીનામુ બનાવવા માટે પ્રથમ પેઢીનામા અંગેનુ સોગંદનામુ બનાવવુ)
- હયાતીમા હક્ક દાખલ કરવા અંગેનુ સોગંદનામુ
- જો પેઢીનામા બતાવ્યા પ્રમાણે દરેક વારસદારોના નામ જમીનમા દાખલ કરવાના ના હોય તો જે વ્યક્તિનુ નામ નથી દાખલ કરવાના તેમનુ વાંધો નથી એ બાબતનુ સોગંદનામુ કરાવવુ
- તલાટી રુબરુ ખેડુત ખાતેદાર અને જે વારસદારનુ નામ જમીનમા નથી દાખલ કરવાનુ તેમનો જવાબ અને પંચક્યાસ
- સોગંદનામુ કરાવવા માટે જેનુ સોગંદનામુ કરવાનુ હોય તેના આધારકાર્ડ અને ૨ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે લઈ જવા
- ૩ સાક્ષી અને તેમના ૨ ફોટો સાથે લઈ જવા.
- દરેક વ્યક્તિના આધારકાર્ડ અને ફોટો
- હયાતીમા હક્ક દાખલ કરવાનુ અરજીપત્ર અને તેની સાથે નકલમા હોય તે અને પેઢીનામા મા હોય તે દરેક વ્યક્તિના નામ સરનામા લખવા
- અરજી પત્ર પર રુપિયા ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ ટીકીટ લગાવવી
અરજી આપ્યા બાદ ની પ્રોસેસ
- આપની અરજી મામલતદાર કચેરીમા આપ્યા બાદ થોડા દિવસોમા કાચી નોંધ પડશે
- ત્યારબાદ ૩૦ દિવસની મુદત વાળી ૧૩૫ડી ની નોટીશ નકલમા નામ હોય એ દરેક વ્યક્તિને વાધા સુચનો માટે બજવવામા આવશે(જો કોઈ વ્યક્તિને હક્ક કમી કરવા સામે વાંધો હોય તો આ નોટિશ મળ્યા બાદ ૩૦ દિવસની અંદર પોતાનો વાંધો લેખિતમા રજુ કરવો )
- નોટીશ બજાવ્યા બાદ જો કોઈ વ્યક્તિને કોઈપણ પ્રકારનો વાંધો ના હોય તો હક્ક કમી થઈ જશે
- જો કોઈ વ્યક્તિનો વાંધો આવશે તો અરજી તકરારી ગણાશે અને તકરારી રજીસ્ટર પર ચઢશે અને કેસ આગળ ચાલશે.)
- અરજી આપ્યા બાદ વધુમા વધુ બે મહિનાની અંદર હક્ક દાખલ થઈ જશે.
અરજીની સ્થિતી
અને નિકાલની વિગતો સમાયંતરે આપના મોબાઈલ પર મોકલવામા આવશે.
Advertisemen