Advertisemen
નમસ્કાર
ખેડુતમિત્રો,
વારસાઈ કઈ રીતે
કરી શકાય?
વારસાઈ કરવા
માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે
ઓનલાઈન અરજી કઈ
રીતે કરવી?
અરજી સાથે કયા કયા
પુરાવા જોઈએ?
અરજી ક્યા આપવી?
દરેક ખેડુત પાસે
પોતાની જમીન હોય છે અને આ જમીન ના દસ્તાવેજી પુરાવા તરીકે નમ્બર ૭, ૧૨ અને ૮/અ હોય છે
પરંતુ અમુક ખેડુતોની આ નકલ ચોખ્ખી નથી હોતી મતલબ એમા ઘણા બધા નામ હોય છે ખેતી બીજુ
કોઈ કરતુ હોય અને નામ બીજા કોઈનુ ચાલતુ હોય છે
આવુ એટલા માટે
બનતુ હોય છે કારણ કે એમા જે તે સમયે જે ફેરફાર કરવાના થતા હોય છે તે ખેડુતો કરાવતા
નથી હોતા જેમ કે નકલમા નામ ચાલતુ હોય તે વ્યક્તિ નુ મ્રુત્યુ થાય તો વારસાઈ નથી
કરાવતા ત્યારબાદ હક્ક કમી,
વહેચણી કે કોઈ બોજો જમીન પર ચાલતો હોય તો તે દુર કરાવતા નથી અને આવુ
કઈ રીતે કરાવવુ તે ઘણા ખેડુત મિત્રો ને ખબર નથી હોતી તો આજે આપણે વારસાઇ કઈ રીતે
કરાવવી તેના વિશે જાણીએ
કોઈ વ્યક્તિનુ
મ્રુત્યુ થાય અને એ વ્યક્તિનુ નામ કમી કરી તેના પુત્રો, પુત્રી અને પત્ની ના
નામો નકલમા દાખલ કરવાની પ્રક્રિયા ને વારસાઈ કહેવામા આવે છે.
વારસાઈ કઈ રીતે
કરી શકાય?
ઓનલાઈન અરજી કઈ
રીતે કરવી?
- ઓનલાઈન અરજી
માટે સૌ પ્રથમ https://iora.gujarat.gov.in પર જવુ
- આ સેવા તમે
તમારા સ્માર્ટ ફોન પર પણ કરી શકો છો
- ત્યાર બાદ વારસાઈ નોંધ પર જવુ
- ત્યારબાદ જિલ્લાનુ નામ, તાલુકાનુ નામ અને ગામનુ નામ પસંદ કરવુ
- અરજદારનો મોબાઈલ નમ્બર લખવો સ્ક્રીન પર બતાવેલ સંખ્યા વાંચીને ટેક્સ્બોક્ષમા દાખલ કરો
- ત્યાર બાદ generate otp પર ક્લિક કરો
આમ કરવાથી આપના મોબાઈલ નમ્બર પર ઓટીપી આવશે
- આ ઓટીપી અનુક્રમે બતવેલા ટેક્સબોક્સ મા દાખલ કરો અને સબમીટ પર ક્લીક કરો
- ત્યારબાદ વારસાઈ નોંધ માટે અરજીની વિગતો ભરવાનુ ફોર્મ ખુલશે
- એમા માંગેલી દરેક
વિગતો ચોક્કસાઈ પુર્વક ભરી save
application પર click કરો
- જો અરજીમા કોઈ સુધારો
કરવો હોય તો edit
application પર click કરો
- જો અરજીને લગતી તમામ
વિગતો બરાબર હોય તો confirm
application પર click કરો
- ત્યાર બાદ print application પર
click કરી અરજી print કરો
- ડોક્યુમેંટ અપલોડ
કરવાના ઓપ્શન મા જઈ ને અરજીપત્ર,
મરણ નો દાખલો, પેઢીનામુ, અને અન્ય જરુરી ડોક્યુમેંટ અપલોડ કરવા.
- ત્યારબાદ generate mutation પર click
કરવાથી મોબાઈલ નમ્બર પર વેરીફિકેશન કોડ મળશે આ કોડ ટેક્સ્બોક્ષમા દાખલ
કરી submit પર click કરો
- હવે નોંધ generate થશે તેની print
કરો
- હવે અરજીની પ્રક્રીયા પુર્ણ થશે અને આપની અરજી જે તે તાલુકાના ઈ ધરા કેંદ્ર્મા આગળ ની પ્રક્રીયા માટે સબમીટ થશે.
અરજી સાથે કયા કયા
પુરાવા જોઈએ?
- નમ્બર ૭, ૧૨ અને ૮/અ ની નકલ
- જે તે વ્યક્તિનો મરણ નો દાખલો અસલ
- પેઢીનામુ(રેવન્યુ તલાટી પાસે બનાવવુ એના માટે પ્રથમ પેઢીનામા અંગેનુ સોગનદનામુ બનાવવુ)
- વારસાઈ અંગેનુ સોગંદનામુ
- ઓનલાઈન અરજી કરી તેની નોંધ જનરેટ થશે તેની પહોચ પણ મુકવી
- અને ઓનલાઈન અરજી ની અસલ પ્રીંટ પણ મુકવી
અરજી ક્યા આપવી?
- ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી અને દરેક ડોક્યુમેંટ મામલતદાર કચેરીના ઈ ધરા કેંદ્ર મા આગળની પ્રોસેસ માટે આપવુ
- નોંધ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી જે તે તાલુકાના ઈ ધરા કેંદ્ર્મા ૧૫ દિવસ મા પહોચાડવાના રહેશે.
- અરજીની સ્થિતી અને નિકાલની વિગતો સમાયંતરે આપના મોબાઈલ પર મોકલવામા આવશે.
Advertisemen