Advertisemen
જન્મની અને મરણ ની નોધણી
નમસ્કાર
મિત્રો,
આજે હુ તમને જન્મની અને મરણ ની નોધણી ૨૧ દિવસની અંદર કરાવવાની રહી ગઈ હોય તો શુ કરવુ એના વિશે માહિતી આપીશ
આગળ આપણે જન્મ અને મરણ ની નોંધ ક્યા કરાવવી કોની પાસે કરાવવી અને એના પ્રમાણપત્ર વિશે જોયુ જો તમારે એ લેખ વાંચવો હોય તો આ લીંક પર ટચ કરી વાંચી શકો છો
https://shrivagujarati.blogspot.com/2020/09/birthdeath-registration.html
આજે હુ તમને જન્મની અને મરણ ની નોધણી ૨૧ દિવસની અંદર કરાવવાની રહી ગઈ હોય તો શુ કરવુ એના વિશે માહિતી આપીશ
આગળ આપણે જન્મ અને મરણ ની નોંધ ક્યા કરાવવી કોની પાસે કરાવવી અને એના પ્રમાણપત્ર વિશે જોયુ જો તમારે એ લેખ વાંચવો હોય તો આ લીંક પર ટચ કરી વાંચી શકો છો
જન્મની અને મરણ ની નોધણી ૨૧ દિવસની અંદર કરાવવાની રહી ગઈ હોય તો શુ કરવુ
- જો જન્મ અને મરણ ની નોધ ૨૧ દિવસ કરતા વધુ સમય થઈ ગયો હોય પરંતુ એક વર્ષ કરતા વધુ સમય ના થયો હોય તો નોધ કરાવવાની રહી ગઈ છે એવુ નોટરી રુબરુ સોગંદનામુ કરાવવુ અને એક અરજી સાથે તાલુકા વિકાસ અધિકારીની ને લખી આપવુ
- તાલુકા વિકાસ અધિકારી આ અરજીને આધારે તલાટી કમ મંત્રીને હુકમ કરશે
- અને આ હુકમને આધરે તલાટી કમ મંત્રી જે તે જન્મ અથવા મરણ ની નોધણી કરશે
- આ રીતે નોધણી કરવાના ૧૦ રુપિયા લેટ ફી થશે
- અને આ હુકમ જન્મ અને મરણ થયા ને એક વર્ષ થયુ હોય તો જ થઈ શકશે એક વર્ષથી વધુ સમય થયો હશે હુકમ થશે નહિ
જન્મ અને મરણ ને એક વર્ષ કરતા વધુ સમય થયો હોય તો કઈ રીતે નોધ કરાવવી?
- જો જન્મ અને મરણ થયાને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો હોય અને નોધણી કરાવવી હોય તો જ્યા મરણ થયુ હોય તે લાગુ કચેરી ને એક અરજી કરી અપ્રાપ્ય પ્રમાણપત્ર મેળવી લેવુ
- આ અપ્રાપ્ય પ્રમાણપત્ર ને આધારે કોર્ટમા કેસ દાખલ કરવો
- કેસ દાખલ થયા બાદ જજ્સાહેબ એક દિવસ જે તે કચેરીના તલાટી કમ મંત્રી ને કોર્ટમા જે રજીસ્ટર લઈને બોલાવશે
- અને સુનવણી થશે જેમા તલાટીનો જવાબ લેવામા આવશે અને રજીસ્ટર ચેક કરવામા આવશે કે જન્મ અને મરણ ની નોધણી થઈ છે કે નહિ
- જો નોધણી નહિ થઈ હોય તો જજસાહેબ જન્મ અથવા મરણ ની નોધની કરવા માટે હુકમ કરશે
- આ હુકમ ના આધારે જન્મ અને મરણની નોધણી કરી શકાશે
- આ રીતે નોધણી કરાવવાના ૧૦ રુપિયા લેટ ફી થશે
- અને આ નોધણી ચાલુ સાલના રજીસ્ટરમા થશે
- ઉ.ત. જો જન્મ અથવા મરણ ૨૦૦૧ મા થયુ હોય અને જજ્સાહેબ નો હુકમ ૨૦૨૦ મા કરે તો જન્મ અથવા મરણ ની નોંધ ૨૦૨૦ ના રજીસ્ટરમા થશે
તો મિત્રો આ રીતે જો તમારા
ફ્રેંડ્સ કે ફેમિલી મા કોઈ નો જન્મ અથવા મરણ ની નોંધ કરાવવાની કોઈ કારણોસર રહી ગઈ
હોય તો કરાવી શકો છો
જો તમને આ લેખ ગમ્યો હોય તો
તમારા મિત્રો સાથે અચુક શેર કરજો અને હા જો કોઈ સુઝાવ કે પ્રશ્ન હોય તો કોમેંટ કરી
કહી શકો છો હુ જરુરથી જવાબ આપીશ
આભાર
Advertisemen