-->

ઘર (મકાન) ની વારસાઈ

Advertisemen

 

ઘરની વારસાઈ કરવા અંગે જરુરી માહિતી

ઘર


નમસ્કાર મિત્રો,
              આજે હુ તમને ઘર (મકાન) ની વારસાઈ કઈ રીતે કરી શકાય તેના વિશે માહિતી આપીશ
સીધી અને સાદી ભાષામા કહુ તો
              દરેક વ્યક્તિ પાસે ઘર હોય છે અને આ ઘર જે વ્યક્તિ ના નામ પર હોય તેનુ અવસાન થાય  ત્યારે એ વ્યક્તિ નુ નામ કમી કરી એમના જે કાયદેસરના સીધી લીટીના વારસદારો હોય છે એમના નામ એ ઘરમા દાખલ કરવાની પ્રક્રિયાને વારસાઈ કહેવામા આવે છે

વારસદારો મા કોનો કોનો સમાવેશ થાય?

વારસદારોમા મરણ પામનારની
  • પત્નિ
  • પુત્ર
  • પુત્રી  આ ત્રણ વ્યક્તિ નો સમાવેશ થાય છે
જો એક સ્ત્રી ની વારસાઇ કરવાની હોય તો એમના વારસદારો મા પુત્ર અને પુત્રી જ વારસદાર તરીકે  આવશે એમના પતિ વારસદાર મા આવશે નહિ

વારસાઇ કરાવવા માટે કઈ કચેરી નો સમ્પર્ક કરવો ?

  • ૧ ગ્રામ્ય કક્ષાએ  ગ્રામ પંચાયત કચેરીનો
  • ૨ નગરપાલિકા વિસ્તારમા નગરપાલિકા કચેરીએ
  • ૩ મહાનગરપાલિકા વિસ્તારમા મહાનગરપાલિકાની કચેરીએ

મરણ થયા બાદ વારસાઇ કેટલા સમય મા કરાવવી જોઇએ?

મરણ થયા પછી કોઈપણ સમયે વારસાઇ  કરાવી શકાય
 

વારસાઈ કરાવવા કયા કયા આધાર પુરાવા જોઈએ?

  • જે વ્યક્તિનુ મરણ થયુ હોય એમનો મરણ નો દાખલો
  • પેઢીનામુ


  • પેઢીનામુ (પેઢીનામા અંગેનુ સોગંદનામુ નોટરી પાસે બનાવી તલાટી કમ મંત્રી પાસે પેઢીનામુ બનાવવુ)
  • નોંધ પેઢીનામુ બનાવવા માટે ૩ સાક્ષી અને એમના આધારકાર્ડ અને ફોટા સાથે તલાટી કમ મંત્રી પાસે જવુ
  • વારસાઈ અંગેનુ સોગંદનામુ (નોટરી પાસે કરાવવુ)
  • જે ઘરમા વારસાઈ કરવાની હોય એ ઘરની આકારણી (તલાટી પાસેથી મેળવવી )
  • અને એક સાદા કાગળ ઉપર અરજી લખી જે તે લાગુ કચેરી એ અરજી કરવી

અરજી આપ્યા બાદની પ્રક્રિયા

                     અરજી આપ્યા બાદ આપની અરજી સામાન્ય સભામા ઠરાવમા લેવામા આવશે પ્રથમ સભામા કાચી નોંધ પાડી વારસાઇ સામે કોઈને વાંધા હોય તો વાંધા સુચનો મંગાવવામા આવશે (જો કોઈ દિકરી કે દિકરા ને વારસાઇ સામે વાંધો હોય તો આ ૩૦ દિવસ મા વાંધા અરજી આપી શકે છે)



 
                જો ૩૦ દિવસ મા કોઇ વાંધા સુચનો ના આવ્યા હોય તો બીજી સામાન્ય સભામા મરણ થનાર વ્યક્તિ નુ નામ કમી કરી એમના વારસદારો ના નામ દાખલ કરવામા આવશે.
               અને જો કોઈ વાંધા સુચનો આવ્યા હશે તો અરજી તકરારી ગણવામા આવશે અને એનો કેસ અલગથી ચાલશે
                   જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે અચુક શેર કરજો અને હા જો કોઈ સુઝાવ કે પ્રશ્ન હોય તો કોમેંટ કરી પુછી શકો છો હુ જરુરથી જવાબ આપીશ

Advertisemen

Disclaimer: Gambar, artikel ataupun video yang ada di web ini terkadang berasal dari berbagai sumber media lain. Hak Cipta sepenuhnya dipegang oleh sumber tersebut. Jika ada masalah terkait hal ini, Anda dapat menghubungi kami disini.
Related Posts
Disqus Comments
© Copyright 2017 shriva gujarati - All Rights Reserved - Created By BLAGIOKE & Best free blogger templates