-->

ઘડપણ

Advertisemen

 

નમસ્કાર મિત્રો,
                             આજે હુ તમને એક એવી સત્ય ઘટના વિશે જણાવવા જઈ રહી છુ જે આજના સમયમા માનવતા કેટલી હદે નાબુદ થઈ ગઈ છે તે દર્શાવે છે પાત્રોના નામ અને સ્થળ બદલવામા આવ્યા છે
વ્રુધ્ધ વ્યક્તિ


                     સુરત જિલ્લાના એક નાના ગામમા દયારામ ચૌહાણ કરીને ભાઈ રહે છે તેમની પત્નીનુ નામ ચારુલતાબેન  તેમનો એક્નો એક દિકરો છે જેનુ નામ છે જયદિપ. દિકરાને ખુબ લાડ કોડ થી ઉછેરીને મોટો કર્યો હતો એક્નો એક હોવાથી દિકરાને કોઈ વાતની કમી આવવા દિધી ના હતી દયારામભાઈ અને એમની પત્ની ચારુલત્તાબેન બન્ને ખુબ મહેનત કરીને દિકરાને ખુબ ભણાવ્યો અને એંજીનીયર બનાવ્યો હતો  દિકરો એંજીનીયર બન્યા બાદ દયારામભાઈ અને ચારુલતાબેન ખુબ ખુશ હતા એવામા એમની ખુશી બમણી થઈ ગઈ હતી કારણ કે એમના પુત્ર જયદિપ ને ભરુચ જિલ્લાના દહેજમા સારી કમ્પનીમા નોકરી મળી ગઈ હતી.
                            હવે તેમનો પુત્ર દહેજ નોકરી એ જવાનુ હોવાથી ભરુચ ભાડેથી ઘર રાખીને રહેવા લાગ્યો  હતો અને દયારામભાઈ અને તેમના પત્ની ગામ રહેતા હતા. પણ જ્યારે પણ દયારામભાઈ અને ચારુલત્તાબેન ને મન થાય ત્યારે તેઓ ભરુચ જતા હતા અને દિકરાના ત્યા રહેતા હતા અને જયદિપ પણ રજા હોય ત્યારે એમના માતા પિતાને મળવા ગામ જઈ આવતો હતો
                           બે ત્રણ વર્ષ રહિને દયારામભાઈએ એમના પુત્ર જયદિપના લગ્ન સુરત કરાવ્યા કારણ કે જયદિપ ની નોકરી સારી હતી એમને સારા ઘરની છોકરી મળી હતી.
                        હવે સમય બદલાતો ગયો જયદિપે હવે ગામ આવવાનુ ઓછુ કરી નાખ્યુ હતુ અને એમના મમ્મી પાપા ને પણ ભરુચ બોલાવતો ના હતો એમના મમ્મી પાપા ભરુચ મળવા આવવાનુ કહે તો કોઈ વાતનુ બહાનુ કાઢી ના પાડી દેતો હતો
                     થોડા વર્ષો બાદ ચારુલતાબેન નુ મ્રુત્યુ થઈ ગયુ હવે દયારામભાઈ એકલા પડી ગયા માટે જયદિપ એમને એમની સાથે ભરુચ લઈ ગયો.
                          પછી બન્યુ એવુ કે દયારામભાઈ ના ઘરની બાજુમા રહેતા ભાઈ છીતુભાઈ કોઈ કારણસર ભરુચ જવાનુ થયુ તો એમણે જોયુ કે દયારામભાઈ ભરુચ રેલ્વે સ્ટેશન પર ભીખ માંગતા હતા આ જોઈ તેઓ ખુબ વ્યથિત થઈ ગયા અને દયારામભાઈ પાસે ગયા તો તેમની આંખ માથી આસુ વહેવા લાગ્યા.
                          પછી દયારામભાઈએ જે કહ્યુ તે હદયદ્રાવક હતુ એમણે કહ્યુ કે હવે હુ ઘરડો થઈ ગયો છુ મારાથી કોઈ કામ નથી થતુ વહુ કહે મફતના રોટલા ખાવા છે કોઈ કામ ધંધા કરવા નથી કશુ ના થાય તો રેલ્વે સ્ટેશન પર જઈ ને ભીખ તો માંગી જ શકો છો એતો થશે ને ?
                         દિકરો પણ વહુ ની હા મા હા મિલાવે છે એ પણ વહુ આગળ કશુ બોલી શક્તો નથી એમ કહી દયારામભાઈ રડવા લાગ્યા
                             પછી છીતુભાઈ દયારામભાઈ સાથે એમના દિકરાના ઘરે ગયા અને એમનો દિકરો તો ઘરે હતો નહિ માટે વહુને કહ્યુ હુ દયારામંભાઈને મારી સાથે ગામ લઈ જાવ છુ એમનુ મન અહિયા નથી લાગતુ વહુને તો આવુ જોઈતુ જ હતુ માટે એમણે તો ખુશી ખુશી હા કહ્યુ અને છિતુભાઈ દયારામ ભાઈને એમના ગામ લઈ આવ્યા
દયારામભાઈ નુ ઘર


                          પરંતુ દયારામભાઈ ઘણા સમયથી દિકરા સાથે રહેતા હતા માટે ગામમા ઘરની સાર સમ્ભાળ રાખવા વારુ કોઈ ના હોવાથી ઘર પડી ભાંગ્યુ હતુ ઘરમા રહેવાય એમ ના હતુ માટે દયારામભાઈ ઘરની બહાર જ ખાટલો વાળી ને રહે છે છીતુભાઈના ઘરેથી એમને સમયસર જમવાનુ મળી રહે છે પરંતુ આવી ઠંડીમા બહાર ખાટલા પર સુઈ રહેવુ પણ ખુબ મુશ્કેલ છે. છીતુભાઈએ ઘણી વાર જયદિપ ને કહ્યુ કે ઘર ની છત પર ખાલી પતરા નાખી આપ તે પણ જયદિપ નથી કરી આપતો. હવે દયારામભાઈ ક્યારે મોત આવે એની રાહ જોઈ રહ્યા છે. 
દયારામભાઈ નો ખાટલો


                             ખરેખર મિત્રો ઘડપણ ખુબ મુશ્કેલ હોય છે ઘડપણમા વ્યક્તિ નાના બાળક જેવા જ થઈ ગયા હોય છે બાળક જ્યારે નાનુ હોય અને એને જેટલી જરુર એના મા બાપની હોય છે એટલી જ જરૂર મા બાપ ને ઘડપણમા પોતાના સંતાન ની હોય છે. મા બાપ જેણે આપણને ભણાવીને આ જગ્યા પર લાવ્યા તેમની સાથે તો આવો વ્યવહાર ના જ કરીએ. 
 
Advertisemen

Disclaimer: Gambar, artikel ataupun video yang ada di web ini terkadang berasal dari berbagai sumber media lain. Hak Cipta sepenuhnya dipegang oleh sumber tersebut. Jika ada masalah terkait hal ini, Anda dapat menghubungi kami disini.
Related Posts
Disqus Comments
© Copyright 2017 shriva gujarati - All Rights Reserved - Created By BLAGIOKE & Best free blogger templates