-->

પ્રધાનમંત્રી આવાસ યોજના

Advertisemen

 

આવાસ

  નમસ્કાર મિત્રો

                           આજે હુ તમને પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ કોને કોને મળી શકે છે અને આ યોજના નો લાભ કેવી રીતે લઈ શકાય છે તેમજ ક્યા અરજી કરવી કઈ રીતે કરવી જેવી દરેક માહિતી આપીશ 

 પ્રધાનમંત્રી આવાસ યોજના ની શરુઆત વર્ષ ૨૦૧૫ મા થઈ હતી આ યોજના અંતર્ગત ૨૦૨૨ સુધી  ગ્રામ્ય વિસ્તારમા દરેક લોકોના ઘર પાકા હોય એ લક્ષયાંક છે આ યોજના અંતર્ગત ફક્ત આવાસ જ નથી મળતુ પરંતુ સાથે સાથે શૌચાલય અને વીજળીનુ કનેકશન પણ મળે છે આ યોજના નો લાભ કઈ રીતે લઈ શકાય તે હુ તમને જણાવીશ

કોને કોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળી શકે છે

  • આ યોજના અંતર્ગત એવા લોકોને જ લાભ મળી શકે છે જેમની પાસે હાલના સમયમા ઘર ના હોય  અથવા તો તે ગ્રામ્ય વિસ્તારમા કાચા અને જર્જરીત ઘરમા રહેતા હોય
  • જર્જરીત કાચુ ઘર


  • જેમનુ બીપીએલ યાદીમા નામ હોય એમને આ યોજના નો લાભ મળી શકે છે
  • આ યોજના અંતર્ગત તમને ૬.૫૦ ટકાના વ્યાજ્દરે ૬૦૦૦૦૦ સુધી લોન પણ લઈ શકો છો

શરતો

  • અરજ્દારની આવક જો ગ્રામ્ય વિસ્તાર હોય તો ૧,૨૦,૦૦૦ થી વધુ ના હોવી જોઈએ તેમજ શહેરી વિસ્તારમા ૧,૫૦,૦૦૦ થી વધુ ના હોવી જોઈએ 
  • અરજદારનુ ભારત દેશમા પોતાનુ પાક્કુ મકાન ના હોવુ જોઈએ
  • પાકુ મકાન


  • બીપીએલ યાદીમા નામ હોવુ જોઇએ
  • રીટાયર્ડ અને શહિદ થયેલા સૈનિકો ના પરીવાર તથા વિધવા અને આશ્રિત પરીવાર ને આ યોજના નો લાભ પહેલા મળશે

અરજી કઈ રીતે કરવી?

  • અરજદારે સૈ પ્રથમ ગ્રામપંચાયતમા સાદા કાગળ પર અરજી કરવી
  • ગ્રામપંચાયત તેમની સામાન્યસભામા અરજી વંચાણે લઈ ઠરાવ કરશે
  • ત્યારબાદ તાલુકાપંચાયત મા ઠરાવ મોકલાવશે આ ઠરાવના આધારે અરજી ઓનલાઈન થશે
  • ઓનલાઇન અરજી કરવા માટે ની વેબસાઈટ https;//pmayg.nic.in છે ત્યાર બાદ યાદી તૈયાર થશે જે ઓનલાઈન મુકાશે

ઓનલાઈન યાદીમા તમારુ નામ કઈ રીતે જોશો?

  • જે લોકોએ આ યોજના અંતર્ગત અરજી કરી હોય એમણે rhreporting.nic.in/netiay/beneficiary.aspx વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન નમ્બર નાખવો એટલે તમારુ નામ આવશે
  • જો ના આવે તો એડવાંસ સર્ચ મા જઈને ત્યા એક ફોર્મ ભરવાનુ આવશે તે ભરીને પુરી જાણકારી મેળવી શકો છો

કયા કયા આધાર પુરાવા રજુ કરવા પડશે

  • આવકનો દાખલો
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • અરજદારના જન્મનો દાખલો / લિવીંગ સર્ટી
  • જાતિનો દાખલો

અને જો આ યોજના અંતર્ગત તમે લોન લેવા માંગતા હોવ તો

  • ૬ મહિનાનુ બેંક સ્ટેટમેંટ
  • ઈનકમટેકસ રીટર્ન ફોર્મ ૧૬
  • ઘરનો નક્શો અને પ્લાન એસ્ટીમેંટ
  • સોગંદનામુ જેમા એવુ લખાણ હોય કે અરજદાર પાસે કે એમના ઘરના કોઈ વ્યક્તિ પાસે પાકુ મકાન નથી
  • અને હાઉસિંગ સોસાયતી નુ એનઓસી જમા કરાવવુ પડશે

                             તો મિત્રો આ રિતે તમે પ્રધાન મંત્રી આવાસ યોજના નો લાભ લઈ શકો છો અથવા તમારા મિત્ર કે પરિવારમા લાભ અપાવી શકો છો

                            જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે અચુક શેર કરજો અને હા જો કોઈ સુઝાવ કે પ્રશ્ન હોય તો કોમેંટ કરી કહી શકો છો હુ જરુરથી જવાબ આપીશ 

આભાર

Advertisemen

Disclaimer: Gambar, artikel ataupun video yang ada di web ini terkadang berasal dari berbagai sumber media lain. Hak Cipta sepenuhnya dipegang oleh sumber tersebut. Jika ada masalah terkait hal ini, Anda dapat menghubungi kami disini.
Related Posts
Disqus Comments
© Copyright 2017 shriva gujarati - All Rights Reserved - Created By BLAGIOKE & Best free blogger templates