![]() |
આવાસ |
નમસ્કાર મિત્રો
આજે હુ તમને પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ કોને કોને મળી શકે છે અને આ યોજના નો લાભ કેવી રીતે લઈ શકાય છે તેમજ ક્યા અરજી કરવી કઈ રીતે કરવી જેવી દરેક માહિતી આપીશ
પ્રધાનમંત્રી આવાસ યોજના ની શરુઆત વર્ષ ૨૦૧૫ મા
થઈ હતી આ યોજના અંતર્ગત ૨૦૨૨ સુધી ગ્રામ્ય
વિસ્તારમા દરેક લોકોના ઘર પાકા હોય એ લક્ષયાંક છે આ યોજના અંતર્ગત ફક્ત આવાસ જ નથી
મળતુ પરંતુ સાથે સાથે શૌચાલય અને વીજળીનુ કનેકશન પણ મળે છે આ યોજના નો લાભ કઈ રીતે
લઈ શકાય તે હુ તમને જણાવીશ
કોને કોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળી શકે છે
- આ યોજના અંતર્ગત એવા લોકોને જ લાભ મળી શકે છે જેમની પાસે હાલના સમયમા ઘર ના હોય અથવા તો તે ગ્રામ્ય વિસ્તારમા કાચા અને જર્જરીત ઘરમા રહેતા હોય
જર્જરીત કાચુ ઘર - જેમનુ બીપીએલ યાદીમા નામ હોય એમને આ યોજના નો લાભ મળી શકે છે
- આ યોજના અંતર્ગત તમને ૬.૫૦ ટકાના વ્યાજ્દરે ૬૦૦૦૦૦ સુધી લોન પણ લઈ શકો છો
શરતો
- અરજ્દારની આવક જો ગ્રામ્ય વિસ્તાર હોય તો ૧,૨૦,૦૦૦ થી વધુ ના હોવી જોઈએ તેમજ શહેરી વિસ્તારમા ૧,૫૦,૦૦૦ થી વધુ ના હોવી જોઈએ
- અરજદારનુ ભારત દેશમા પોતાનુ પાક્કુ મકાન ના હોવુ જોઈએ
પાકુ મકાન - બીપીએલ યાદીમા નામ હોવુ જોઇએ
- રીટાયર્ડ અને શહિદ થયેલા સૈનિકો ના પરીવાર તથા વિધવા અને આશ્રિત પરીવાર ને આ યોજના નો લાભ પહેલા મળશે
અરજી કઈ રીતે કરવી?
- અરજદારે સૈ પ્રથમ ગ્રામપંચાયતમા સાદા કાગળ પર અરજી કરવી
- ગ્રામપંચાયત તેમની સામાન્યસભામા અરજી વંચાણે લઈ ઠરાવ કરશે
- ત્યારબાદ તાલુકાપંચાયત મા ઠરાવ મોકલાવશે આ ઠરાવના આધારે અરજી ઓનલાઈન થશે
- ઓનલાઇન અરજી કરવા માટે ની
વેબસાઈટ https;//pmayg.nic.in
છે ત્યાર બાદ યાદી તૈયાર થશે જે ઓનલાઈન મુકાશે
ઓનલાઈન યાદીમા તમારુ નામ કઈ
રીતે જોશો?
- જે લોકોએ આ યોજના અંતર્ગત અરજી
કરી હોય એમણે rhreporting.nic.in/netiay/beneficiary.aspx
વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન નમ્બર નાખવો એટલે તમારુ નામ આવશે
- જો ના આવે તો એડવાંસ સર્ચ મા જઈને ત્યા એક ફોર્મ ભરવાનુ આવશે તે ભરીને પુરી જાણકારી મેળવી શકો છો
કયા કયા આધાર પુરાવા રજુ કરવા પડશે
- આવકનો દાખલો
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- અરજદારના જન્મનો દાખલો / લિવીંગ સર્ટી
- જાતિનો દાખલો
અને જો આ યોજના અંતર્ગત તમે લોન લેવા માંગતા હોવ તો
- ૬ મહિનાનુ બેંક સ્ટેટમેંટ
- ઈનકમટેકસ રીટર્ન ફોર્મ ૧૬
- ઘરનો નક્શો અને પ્લાન એસ્ટીમેંટ
- સોગંદનામુ જેમા એવુ લખાણ હોય કે અરજદાર પાસે કે એમના ઘરના કોઈ વ્યક્તિ પાસે પાકુ મકાન નથી
- અને હાઉસિંગ સોસાયતી નુ એનઓસી જમા કરાવવુ પડશે
જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે અચુક શેર કરજો અને હા જો કોઈ સુઝાવ કે પ્રશ્ન હોય તો કોમેંટ કરી કહી શકો છો હુ જરુરથી જવાબ આપીશ
આભાર