Advertisemen
જન્મ અને મરણ નોધણી
નમસ્કાર મિત્રો,
આજે હુ
તમને જન્મની અને મરણ ની નોધણી કરવા વિશે માહિતી આપીશ
જન્મ
અને મરણ ની નોધણી કરાવવી ખુબ જરુરી છે તેના પ્રમાણપત્રની ઘણી જગ્યાએ જરુર પડે છે
જન્મ અને મરણની નોધણી કરાવવા કોની પાસે જવુ?
- ૧ ગ્રામ્ય વિસ્તારમા તલાટી કમ મંત્રી પાસે
- ૨ નગરપાલિકા વિસ્તારમા નગરપાલિકા કચેરીએ
- ૩ મહાનગરપાલિકા વિસ્તારમા મહાનગરપાલિકાની કચેરીએ
- ૪ નોટીફાઈડ એરિયામા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પાસે
જન્મ અને મરણ ની નોંધ કઈ જગ્યાએ કરાવવી
- તો મિત્રો જ્યા જે વ્યક્તિ નો જન્મ અથવા મરણ થયુ હોય ત્યાજ તે વ્યક્તિ નુ જન્મ અથવા મરણ ની નોંધ થઈ શકે
- ઉ.દા જો કોઈ વ્યક્તિ સુરત રહેતી હોય અને મ્રુત્યુ અમદાવાદ થાય તો એ વ્યક્તિના મરણ ની નોધણી ફક્ત અમદાવાદ જ થશે સુરત નહિ
- જો કોઈ સ્ત્રી પ્રેગનેંટ હોય અને એ કોઈ ગામમા રહેતા હોય અને એમના બાળક્નો જન્મ સુરત શહેર ની કોઈ હોસ્પિટલ મા થાય તો તે બાળક્ના જન્મ ની નોધણી ફક્ત સુરત થશે એના ગામમા નોધ કરાવવી નહિ
જન્મ અને મરણ ની નોધણી કરાવવાની જવાબદારી કોની છે?
- જો જન્મ અથવા મરણ હોસ્પિટલ મા થાય તો હોસ્પિટલ ના સ્ટાફ ડોક્ટર નર્સ વિગેરેની જવાબદારી છે
- જો જન્મ અથવા મરણ ઘરે થાય તો ઘરના વ્યક્તિ ની નોધણી કરાવવાની જવાબદારી છે
જન્મ
અથવા મરણ ની નોંધ
કેટલા સમયમા કરાવવી જોઇએ?
- જન્મ અથવા મરણ થયા બાદ વધુમા વધુ ૨૧ દિવસની અંદર નોધણી કરાવવી જોઈએ
શુ જન્મ અને મરણ ના પ્રમાણપત્ર
એક કરતા વધુ મળી શકે?
- હા જન્મ અને મરણ ના પ્રમાણપત્ર એક કરતા વધુ મળી શકે છે શરત એટલી છે કે ૧ પ્રમાણપત્ર ફ્રી મા મળશે અને બાકીના બીજા પ્રમાણપત્ર માટે એક પ્રમાણપત્ર દિઠ ૧૦ રુપિયા ફી ચુકવવી પડે છે
શુ પ્રમાણપત્ર અંગ્રેજી ભાષામા
મળી શકે?
- હા મળી શકે છે હવે નવા ફોર્મેટમા ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામા હોય છે (સાથે)
જો તમને આ લેખ ગમ્યો હોય તો
તમારા મિત્રો સાથે અચુક શેર કરજો અને હા જો કોઈ સુઝાવ કે પ્રશ્ન હોય તો કોમેંટ કરી
પુછી શકો છો હુ જરુરથી જવાબ આપીશ
Advertisemen